આજે નવ શેરી ગઝલ સાથે ગુરુવારી હાજરી પૂરજો..
કારણ વગર કઈ પણ અહી બનતું નથી,
કારણ બન્યું એવું મને ગમતું નથી.
વિચિત્રતા કેવી હશે એ બાગની ?
ફળ વૃક્ષને આવ્યા છતાં નમતું નથી!
આશ્ચર્યમાં છે પાનખર ને ઝાડ પણ,
પીળું થયું પણ પાંદડું ખરતું નથી!
બાકી હશે શું આખરી ઈચ્છા કશી ?
તો કેમ આ મડદું હજી બળતું નથી?
સમજી ગયો હું તો ઈશારો આપનો,
પણ શું કરું? પાછું હૃદય વળતું નથી.
આ ભીડ ફેંદીને ઘણો થાકી ગયો,
મારું જ સરનામું મને મળતું નથી.
તાકી રહ્યા ઘર, ભીંત, બારી, બારણા,
ખુદ મોભને ઘરથી હવે બનતું નથી!
પર્વતને પણ દુઃખે છે આજે પેટમાં,
પરગટ થયું ઝરણું છતાં ઝરતું નથી.
ક્યાં જીંદગી અટવાઈ? મારો હાથ જો,
રેખાઓમાં ‘મંથન’ નસીબ જડતું નથી!
== મંથન ડીસાકર (સુરત)
તમે હજુ *કાવ્યમંથન* ગ્રુપમાં ના જોડાયા હો તો આ લીંક પર જઈ *JOIN* પર ક્લિક કરો...
https://www.facebook.com/groups/Kavymanthan/?ref=bookmarks
તમારા પ્રતિભાવની રાહ જોઉં છું.
Thursday, 30 March 2017
ગઝલ
Labels:
મંથન ડીસાકર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment