Friday 27 October 2017

ગઝલ

હજી કરતાલ વાગે છે ભલા દાતારમાં,
કોઈ અવધૂત જાગે છે ભલા દાતારમાં.

હવે થંભી ગઈ છે રાસલીલાઓ છતા,
સળગતો હાથ લાગે છે ભલા દાતારમાં.

ન ઈશ્વર કોઈ, ના અલ્લાહ પણ ક્યા છે અલગ,
પરોવ્યા એક ધાગે છે ભલા દાતારમાં.

શુ હોઈ ઘેલછા આથી વધારે ભક્તની,
નયન નરસિંહના તાગે છે ભલા દાતારમાં.

કદી એ આરતીમાં આવે છે ગિરધર બની,
કદી મુલ્લાની બાંગે છે ભલા દાતારમાં.

ઈબાદત જો મળે કરવા ઘડીભર થાનકે ,
વધારે મન શું માગે છે ભલા દાતારમાં.

પ્રગટશે રોમમાં એ સૂર ઝળહળતો થઈ,
અલખના એ જ રાગે છે ભલા દાતારમાં..

શૈલેષ પંડ્યા..... નિશેષ

No comments:

Post a Comment