આ ખાલીપો કોઈ ખબરમાં નથી
મુસાફર છું કિન્તુ સફરમાં નથી
છે આકાશ મારી ભીતરમાં અને
હું વાતાવરણની અસરમાં નથી
સરોવર હતું એ એનું એજ છે
એ હંસો હવે માનસરમાં નથી
છતાં લોક ભાગી રહ્યાં છે અહીં
કોઈ એકબીજાના ડરમાં નથી
પરાપૂર્વથી એ જ મુર્શીદ કહે -
ગઝલ એ નથી જે બહરમાં નથી
ભરત ભટ્ટ
No comments:
Post a Comment