Monday 29 October 2018

ગઝલ

આ ખાલીપો કોઈ ખબરમાં નથી
મુસાફર  છું કિન્તુ  સફરમાં નથી

છે આકાશ મારી ભીતરમાં અને
હું  વાતાવરણની અસરમાં નથી

સરોવર હતું એ એનું એજ છે
એ હંસો હવે માનસરમાં નથી

છતાં લોક ભાગી રહ્યાં છે અહીં
કોઈ  એકબીજાના  ડરમાં નથી

પરાપૂર્વથી  એ જ  મુર્શીદ  કહે -
ગઝલ એ નથી જે બહરમાં નથી

       ભરત ભટ્ટ

No comments:

Post a Comment