Wednesday, 21 November 2018

અછાંદસ

:: કવિતા ::

તેણે પૂછ્યું ," શું છે કવિતા ?"

મને તો આવું સૂઝ્યું,
'"કવિતા એટલે ગૂંથવું,
ફૂલ , નામ કે સંવેદન,
પરસ્પર સ્નેહનાં તાંતણે."

વળી, એ કંઈ એમ માને ?
કહે ;
" ગૂંથવું નહીં , ચૂંથવુ કહો, જનાબ,
' ને , સંવેદના નહીં ; વેદના,
ચૂંથી ચૂંથી ને બનાવો છો,
રાયનો પર્વત."

મેં કહ્યું,
"હા કબૂલ, પણ જરા સુધારો વડીલ,
ચૂંથવું નહીં ; વાટવું.
વાટયું ઘણું - નરસિંહ , મીરાં 'ને ર.પા એ,
ને હજી ઘણાંય વાટે છે,
પોતાની વેદનાંને ,
મોટી ખરલમાં.
'ને બનાવે છે ,વાટી વાટીને ઔષધ.
સંવેદનને લાગું પડેલ અસાધ્ય રોગને મટાડવા,
'ને સંવેદન
સૌનું રહે યુવાન માટે,
સૌએ પીવું પડશે તેથી,
આ ઔષધ - કવિતા."

ગોપાલકુમાર ધકાણ

No comments:

Post a Comment