Friday 30 September 2016

ગઝલ

મન

મન કાં મનમાં ને મનમાં સળવળે ?
વણફળ્યા શમણે શાથી ટળવળે ?

પર્વત આકાંક્ષાના ખડકો; પછી
ભીતર ને ભીતર આખા ખળભળે !

અંતરમાં આ વડવાનળ સળગતો,
ને રોમેરોમ લાવા બળબળે.

બિગડી સો બન જાયે જબ ભી કહીં,
સ્નેહ દીવા નજરોમાં જળહળે.

મારો જીવોજી નક્કી છે નદી,
એથી તો એ હંમેશા ખળખળે

- મુકેશ દવે

No comments:

Post a Comment