Saturday 29 October 2016

કાવ્ય


ગીત

પ્રભુ દયો દર્શન અમને સુખ શાંતિ મળે મનને
ન તાપ નળે તનને અમે ન ભૂલીએ તમને

લોકો સર્વ માને ધનને ક્યાથી શાંતિ મળે મનને
અમે સર્વ માની તમને એવુ વરદાન દ્યો અમને

કહીશું અમે જગને કે તે યાદ કરે તમને
ન તાપ નળે તનને અમે ના ભૂલીએ તમને

પ્રભુ જે કરે તે સારુ કરે એવો નિશ્ચય જેને થશે
પલ પલ પ્રભુને સ્મરે એની નૌકા નક્કી તરે

ઘડી-ઘડીએ ભૂલ કરે કેવી રીતે એ સ્વર્ગ જશે
કંઇક સારુ કદી એ કરે તો મારગ સાચા ફરે

કહીશું કોશીશ એ કરે વધુ નહી પણ થોડું કરે
પલ પલ પ્રભુને સ્મરે એની નૌકા નક્કી તરે

તમે શુધ્ધ બનો મનથી ન ગર્વ કરો તનથી
એવી ભક્તિ કરો મનથી પ્રભૂ દૂર નથી તમથી

મહાન બને ધનથી ધનિયો કહેવાય ધનજી
ન વિચારે કંઇ જ મનથી ન કરે એ કશું સમજી

સમજાવીશું એને પ્રેમથી કહીશું જગ પૂજે એમથી
એવી ભક્તિ કરો મનથી પ્રભૂ દૂર નથી તમથી.

કુશલ મુલિયા

No comments:

Post a Comment