આંધી સમી ડમરી ઉડે
કૈં યાદના રણ વિસ્તરે,
જો ભરબપોરે આંખમાં
સૂરજ ઢળે તો શું કરું *
થોડાંક સપના ફલવવા
બસ જીવવું છે ખુદ મહીં,
પણ જ્યાં વિધાતા હાથમાં
ભૂલો કરે તો શું કરું ?
આવ્યો તબક્કો આખરી
ફૂંકાય ત્યાં સામો પવન,
ઈશ્વર જરા ના પ્રાર્થના
મારી ફળે તો શું કરું ?
...." નિશી " ....
No comments:
Post a Comment