Friday 30 December 2016

ગઝલ

મને ફરક નહીં પડે, કહે છે લોક શું ?
રહી શકું છું એટલે , પૂરી નિરાંતે હું

ન દોડ આખરી કે કોઇ ફર્ક પણ પડે
યુગોથી દોડમાં જ છું, હે! શ્ર્વાસ જાણ તું !

સપને ય તું કદી હવે , ન દૂર જૈ શકૈ
હું તો પરોવી શ્ર્વાસમાં , બેઠી છું એક તું

જીવી જતે એ પ્રેમથી જીવન મધૂર પણ
વેરી અહીં ય પ્રેમનાં , જે મારે ફૂંક ફૂં--

ઇશ્વર સિવાય કોઇને સલામ કર નહીં
એની લકીર કોઇ લ્યો ભૂંસી શકે છે શું?
   કવયિત્રી-પ્રજ્ઞા વશી

No comments:

Post a Comment