Monday 30 January 2017

ગઝલ

એ વાતનું નથી કોઈ જ વિસ્મય;
આયનાને ય નથી મારો પરિચય.

મારા દિલની દશા એઓ જાણે છે;
એમને પણ છે ધબકતું એક હ્રદય.

એમની આંખોમાં ડૂબે મારો સૂરજ;
સવારે એ જ આંખોમાં થાય ઉદય.

ગયા એ રીતે જિંદગીમાંથી એઓ;
અટકી ગયો ત્યારથી મારો સમય.

સુરાહી તોડી નાંખ સાકી આજ તુ;
પિવાડવી દે મને તુ આંખોથી મય.

ખુદા પીવા દે મસ્જિદમાં આજ તુ;
ન તો થશે એથી કોઈ મોટો પ્રલય.

નથી કોઈ ડર મને એમ તો યાર;
બસ મને ખુદનો જ લાગે છે ભય.

કહેવાનું કહી શકતો નથી નટવર;
શું કહેવું છે એમને,છે એ પણ તય.

#નટવર
#સાકી

No comments:

Post a Comment