શ્રી ભરતભાઈ ભટ્ટની પંક્તિ પરથી તરહી રચના
"તરુને ફકત પ્રશ્ન એ થાય છે,
હજી કઇ તરફ આ નદી જાય છે"
સિતારા ગગનમાં ન ટંકાય છે,
અકથ લાગણી પણ ન અંકાય છે,
સતત આ નજર છે ગગન પર હવે,
સિતારો ખર્યે,આશ બંધાય છે,
સનમ બે કદમ સાથમાં જો ભરે,
કિનારે રહી ,રાહ લંબાય છે,
નથી કો' ફુટી હસ્તરેખા નવી,
હતી જે તૂટેલી એ સંધાય છે,
ખરે પર્ણ જો વૃક્ષ પરથી નીચે,
દરદ રક્તભીનું ન ગંઠાય છે,
પૂર્ણિમા ભટ્ટ "તૃષા"
No comments:
Post a Comment