નાચું ગાઉં કે લખી નાખું એકાદ કવિતા
આ બધીજ દિમાગની મીઠી ખંજવાળ છે
નથી કોઈ જ દેખીતો સીધો ફાયદો જ્યાં
તોય આ અનોખી ખુશીની ટંકશાળ છે
આમ તો છે છત્રીસ મુલાક્ષરોનો કમાલ
ને શબ્દો સંગ ભાવની કેવી ઘટમાળ છે
ભવનમાં પ્રવેશ થયા પછી શું કરશો ?
આ શબ્દો તો શૂન્યની મૌન પરસાળ છે
વિસ્તાર ખાલીપાનો શબ્દોમાં થયા પછી
કેવો સંસ્મરણો નો સ્વાદિષ્ટ રસથાળ છે
ચરણ ભલેને હોય મારા આ ધરતી ઉપર
ને આકાશની પેલે પાર મારો વિસ્તાર છે
મૂળ વાત છે "પરમ" સાથેના ઘરોબાની
તો જ ભાવથી આ "પાગલ" શબ્દવહેવાર છે
ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)
No comments:
Post a Comment