Monday 30 January 2017

ગઝલ

નાચું ગાઉં કે લખી નાખું એકાદ કવિતા    
આ બધીજ દિમાગની મીઠી ખંજવાળ છે

નથી કોઈ જ દેખીતો સીધો ફાયદો જ્યાં
તોય આ અનોખી ખુશીની ટંકશાળ છે

આમ તો છે છત્રીસ મુલાક્ષરોનો કમાલ
ને શબ્દો સંગ ભાવની કેવી ઘટમાળ છે
      
ભવનમાં પ્રવેશ થયા પછી શું કરશો ?
આ શબ્દો તો શૂન્યની મૌન પરસાળ છે     

વિસ્તાર ખાલીપાનો શબ્દોમાં થયા પછી
કેવો સંસ્મરણો નો સ્વાદિષ્ટ રસથાળ છે 

ચરણ ભલેને હોય મારા આ ધરતી ઉપર
ને આકાશની પેલે પાર મારો વિસ્તાર છે

મૂળ વાત છે "પરમ" સાથેના ઘરોબાની
તો જ ભાવથી આ "પાગલ" શબ્દવહેવાર છે

ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

No comments:

Post a Comment