Sunday 30 April 2017

ગઝલ

ગઝલ

ઇશ્કે હકીકી ગઝલ
આતમ વાણી.

સદ્ ગુરું મળિયા મુને ને જીવની આ જાત મે જાણી,
દેહ નગરીમાં પછી  સંતો ધજાયું શ્વેત ફહરાણી.

સત્ શબદની આપી છે માળા ને ભીતર ઉઘડી ગ્યાં તાળાં,
એવું તો છે તીર માર્યું , શાંત થઇ ગ્યું ઑટનું પાણી.

'હું'પણાથી કામ સઘળું કરતા તા પે'લાં'ને,હમણાંથી-
તો જગત આખામહીં સઘળે જ છે સમદ્રષ્ટિ વરતાણી.

ગુરુજી તારો પાર ના પાયો શી રીતે ચૂકવું હું ૠણ!!
સંગ તારો શું થયો ! બદલાઇ ગઇ છે મારી જીહ્વાણી.

ગુરુ મળે પૂરા ને ચેલા જો મળે શૂરા તો કંઇક થાય,
નહિ તો જાવાના મરી માણસુ ભજનમાં રાગડા તાણી

"દાસ દિનકરગુરુ" પ્રતાપે દાસ"વિજયાનંદ"ગાવે રે,
કે મરમ મોંઘા આ મનખા દેહનો લેજો તમે જાણી.

વિજયકુમાર જાદવ"વિજયાનંદ'

No comments:

Post a Comment