સાલ્લુ બહુ ભણ્યો ન હોત, તો વાત જુદી હોત
ને નકકામું જો ભૂલી ગ્યો હોત, તો વાત જૂદી હોત
દૂર્યોધનવૃત્તિ લઈને કાયમ, ગયો કૃષ્ણને દ્વાર ;
સુદામા સમો સખો થઈ જાત, તો વાત જૂદી હોત
'આંધળાના હોય આંધળા જ' એ વિષકથન પહેલા જરા ;
સીવાઇ ગઇ હોત લૂલી, તો વાત જૂદી હોત
જીંદગી ના રાજમાર્ગે હૃદય સફર સરપટ હતી ;
આવ્યો ન હોત ગમતો વળાંક, તો વાત જૂદી હોત.
-ડૉ. રવિરાજ રાવલ
No comments:
Post a Comment