Sunday 30 April 2017

ગઝલ

સાલ્લુ બહુ ભણ્યો ન હોત, તો વાત જુદી હોત
ને નકકામું જો ભૂલી ગ્યો હોત, તો વાત જૂદી હોત

દૂર્યોધનવૃત્તિ લઈને કાયમ, ગયો કૃષ્ણને દ્વાર ;
સુદામા સમો સખો થઈ જાત, તો વાત જૂદી હોત

'આંધળાના હોય આંધળા જ' એ વિષકથન પહેલા જરા ;
સીવાઇ ગઇ હોત લૂલી, તો વાત જૂદી હોત

જીંદગી ના રાજમાર્ગે હૃદય સફર સરપટ હતી ;
આવ્યો ન હોત ગમતો વળાંક, તો વાત જૂદી હોત.

                    -ડૉ. રવિરાજ રાવલ

No comments:

Post a Comment