*ગઝલ*
સાવ આવી ખાલી મહેરબાની ના કરો,
આમ અડધેથી તો ખતમ કહાની ના કરો.
દર્દ હોયે જો મનપસંદ સાથે આપના,
તો તમે નાહકની ફિકર દવાની ના કરો.
નીકળી પાસેથી ભળી જશે બીજે હવા,
એટલે તો કહ્યું નકલ હવાની ના કરો.
વિશ્વમાં આખા માણસાઈ સરખી છે બધે,
માણસે હર આવી જુદી નિશાની ના કરો.
વાત જાણે છે આ નગર બધી જે આપણી,
પાલવે ઢાંકી વાત સાવ છાની ના કરો.
-મેઘરાજસિંહ પરમાર
🌷🌷🌷🌷🌷🌷🌷
No comments:
Post a Comment