Sunday, 30 April 2017

ગજલ

ગઝલ

શું કરુ છું? શાને કરુ છું? મનેય સમજાતુ નથી
મૂળ એ વાત નું તો ય મુકાતુ નથી.

મોજા બનીને નીકળી જાય છે બહાર
પુર લાગણીઓનુ દરીયા માં ય સમાતુ નથી.

હમણાંથી આંખો થોડી નબળી પડી લાગે છે
કોઈનુ ય દીલ સાફ વંચાતુ નથી.

કહી દે ને હવે તારે ય જે કે'વુ હોય તે
એમ ય આયા કોય નુ કીધું કાંઇ થાતુ નથી

દિવસે તારા સપના જોવામાં મને વાંધો નથી
પણ પછી રાત આખી ઊંઘાતુ નથી.

આમ તો જીવન નો રસ્તો ઘરથી કબર સુધી
સારુ છે "ગોપાલ" કે સીધેસીધુ જવાતું નથી.

કોટક ધાર્મિક " ગોપાલ "

No comments:

Post a Comment