Wednesday 30 August 2017

ગઝલ

તરહી ગઝલ:

ભવરણે આંધી ઉઠી તો થાય શું !
ભાગ્યવશ ભૂલા પડયાં, ભૂલાય શું !

આભનાં ઊંડાણ જેવી યાદ એ ,
કાળનાં ઉત્પાતથી ધોવાય  શું !

બાગ આખો ઊઝડે જો એક ‍‌ક્ષણ,
એ જ ક્ષણ એની સુગંધો જાય શું ?

વેદનાઓ વિષ જેવી ભાસતી ,
યાતના વિયોગની સહેવાય  શું ?

ભૂતને ભૂલી શકું એ શક્ય ના , 
નીર  નેવાનાં ય મોભે જાય શું  !

                        શીલા મહેતા

No comments:

Post a Comment