સંધાય ના, કર્મો તમે વાવી ગયા!
હાથે કરી, પીડાને સળગાવી ગયા!
છોડે નહીં, મિથ્યા મમત, આ માનવી,
દોષો ધરે બીજે, કહે, ફાવી ગયા!
સંસારની આ જાળ એવી જીવડા,
કહેશે, તમે આવીને લલચાવી ગયા!
મનને કરી લૈ શાંત બસ જીવ્યે જવું,
કિસ્મત કદી શું કોઇ બદલાવી ગયા?
ને છેવટે તો અગનને ખોળે જવું !
અંતરને એવું પંડ સમજાવી ગયા!
-------------હેમા ઠક્કર "મસ્ત " 30-9-17
No comments:
Post a Comment