Saturday, 30 September 2017

ગઝલ

સંધાય ના, કર્મો  તમે વાવી  ગયા!
હાથે કરી, પીડાને સળગાવી ગયા!

છોડે નહીં, મિથ્યા મમત, આ માનવી,
દોષો  ધરે બીજે, કહે,  ફાવી  ગયા!

સંસારની  આ જાળ  એવી  જીવડા,
કહેશે, તમે  આવીને લલચાવી ગયા!

મનને  કરી લૈ શાંત બસ જીવ્યે જવું,
કિસ્મત કદી શું કોઇ બદલાવી ગયા?

ને છેવટે  તો  અગનને  ખોળે  જવું !
અંતરને એવું પંડ સમજાવી  ગયા!

-------------હેમા ઠક્કર "મસ્ત "      30-9-17

No comments:

Post a Comment