Saturday 24 February 2018

ગઝલ

*ગઝલ - અસરદાર કેવા ?*
ઉલાળા નયનનાં અસરદાર કેવા;
તમારા ઈશારા છે વગદાર  કેવા.

સમયસર કદી સાંભળી તો જુઓને;
કહીદો સ્મરણના છે રણકાર કેવા ?

નિરાકાર સાકાર થઈ જાય ત્યારે ;
પ્રભુના જુઓ ભાઈ અવતાર કેવા

તમોને બધી યે કલા આવડે છે ;
થયા માનવીઓ સમજદાર કેવા ?

તમારી ગજબનાક વાર્તા છે "દિલીપ"
કથામાં  છે અશ્રુનાં શણગાર કેવા ?

*દિલીપ વી ઘાસવાલા*

No comments:

Post a Comment