Thursday 22 March 2018

ગઝલ

વિશ્વ કવિતા દિને....

જો આકાશે સુર્ય ચમકતો ન હોત તો કવિતા ન હોત !
ને ચંદ્ર આભા પાથરતો ન હોત તો કવિતા ન હોત !

ટમટમતાં તારલાના તેજમાં ને ઉડતા પતંગિયાની પાંખમાં
અવનવા રંગો ન હોત તો કવિતા ન હોત !

આ લીલાછમ વનો જંગલો ને ખળખળ વહેતી સરિતાઓ
ઝરણાનો કલશોર ન હોત તો કવિતા ન હોત !

આ ઈર્ષા, વેરઝેર, માન-અપમાન, પ્રેમ ને વાસના
હૈયે ઉભરાતી લાગણીઓ ન હોત તો કવિતા ન હોત !

લીલાછમ હોય કે હોય હિમ ઢાંક્યા પહાડો,
દુર્ગમને ભેદવાનો ભાવ ન હોત તો કવિતા ન હોત !

આજે રાગ છે, કુદરત છે, ભાવ છે ને પ્રવાહ છે
સફર એમાં કરીને જીવે છે કવિતા રમે છે કવિતા....

સરલા સુતરિયા
તા. ૨૧-૦૩-૨૦૧૮

No comments:

Post a Comment