વિશ્વ કવિતા દિને....
જો આકાશે સુર્ય ચમકતો ન હોત તો કવિતા ન હોત !
ને ચંદ્ર આભા પાથરતો ન હોત તો કવિતા ન હોત !
ટમટમતાં તારલાના તેજમાં ને ઉડતા પતંગિયાની પાંખમાં
અવનવા રંગો ન હોત તો કવિતા ન હોત !
આ લીલાછમ વનો જંગલો ને ખળખળ વહેતી સરિતાઓ
ઝરણાનો કલશોર ન હોત તો કવિતા ન હોત !
આ ઈર્ષા, વેરઝેર, માન-અપમાન, પ્રેમ ને વાસના
હૈયે ઉભરાતી લાગણીઓ ન હોત તો કવિતા ન હોત !
લીલાછમ હોય કે હોય હિમ ઢાંક્યા પહાડો,
દુર્ગમને ભેદવાનો ભાવ ન હોત તો કવિતા ન હોત !
આજે રાગ છે, કુદરત છે, ભાવ છે ને પ્રવાહ છે
સફર એમાં કરીને જીવે છે કવિતા રમે છે કવિતા....
સરલા સુતરિયા
તા. ૨૧-૦૩-૨૦૧૮
No comments:
Post a Comment