રક્તદાન !
આપી દે ભાઈ, કોઈને નવું જીવન,
એજ સાચી ભક્તિ,એજ સાચું કવન !
તારા લોહીનું એક ટીંપુ,શ્વાસ આપશે,
માનવતાને, નવો વિશ્વાસ આપશે !
ખીલશે ફરી કોઈનું ઘર ઉપવન,
એજ સાચી ભક્તિ,એજ સાચું કવન !
યમરાજને પણ, પાછા ફરવું પડશે,
તારું રક્ત જયારે ધમનીઓમાં ફરશે !
ખોળિયામાં પ્રાણની આવનજાવન ,
એજ સાચી ભક્તિ એજ સાચું કવન !
તારી ભીતર નવો અવતાર પ્રગટશે,
શક્તિની પ્રાણપ્રતિષ્ઠા પ્રભુ કરશે !
સફેદ રણમાં વહેશે ત્યારે મીઠું ઝરણ,
એજ સાચી ભક્તિ એજ સાચું કવન !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment