Wednesday, 21 November 2018

ગઝલ

તાપમાં કોઈની છાયા થઈ શકો!
ને તિમિરમાં જ્યોત જેવા થઈ શકો!

દર્દ દિલના આંખમાં જોવા નથી,
આયનાથી પણ અજાણ્યા થઈ શકો!

પારકા સૌ નામ પોતાના બને,
એમ કંઈ ખુદથી પરાયા થઈ શકો!

દોસતોમાં દુશ્મનોને ઓળખો,
એટલા તો યાર શાણા થઈ શકો!

બેફિકર થઈ જીવવી છે જિંદગી?
બાળકોની જેમ નાના થઈ શકો!

ડો.સુજ્ઞેષ પરમાર 'તન્હા'

No comments:

Post a Comment