Sunday, 7 April 2019

ગઝલ

ગઝલ -ગણે છે કેટલા ?

જિંદગીના દાખલા સાચા ગણે છે કેટલા?
આ નિશાળોમાં ગયા તો પણ ભણે છે કેટલા?

દર્દ વ્યથા ગમ નિરાશા બેચેની ને આપત્તિ;
આ રઝળતા શે’રમાં ઓળા વસે છે કેટલા?

દોષ દેવો અન્યને આદત તને છે માનવી;
જાતને સામે ધરીને દુઃખ હણે છે કેટલા?

ઈશે સૌને મોકલ્યા છે પોત પોતાને રાગે;
તાલબદ્ધ ને સુર લયમાં ગણ ગણે છે કેટલા?

“શોકમાં છીએ” કહી આંસુ મગરના સારે છે;
સાચા દિલથી અંજલિ આપી રડે છે કેટલા?

દિલીપ વી ઘાસવાળા

No comments:

Post a Comment