Sunday, 19 April 2020

કવિત

*હરિગીત*

ચીને ચલાવ્યો રોગ કેવો જગત જો હેરાન છે
સૌ સજીવોમાં ભય ભયો આ માવની પરેશાન છે
અકાળ મૃત્યુને વર્યા એ આંકડો હદપાર છે
આવો ઉગારો રોગથી હવે, હે! ભવા શું વાર છે ?

ભરખ્યાં ઘણા ભરડો લઈ નરી આંખથી જડતો નથી
મુંજાય છે આ માનવી ઉપચાર પણ મળતો નથી
કર્યા પ્રયત્નો કેટલા સઘળા ઇ તો બેકાર છે
આવો ઉગારો રોગથી હવે, હે! ભવા શું વાર છે ?

મનખો મળ્યો માનવ તણો ઇ જાતને ભૂલી ગયા
ધરીયો નહિ માનવ ધરમ સઘળી મૂકી છે જીવદયા
મહામારીનો આ માર જો કળિકાળનો અણસાર છે
આવો ઉગારો રોગથી હવે, હે! ભવા શું વાર છે ?

પડતા મૂકી સૌ કામને હરિ નામ લઈ બેઠા ઘરે
ફફડે બધાયે માનવી આ રોગથી થરથર ડરે
ખાખીધરો ને દાક્તરો વંદન તણા હકદાર છે
આવો ઉગારો રોગથી હવે, હે! ભવા શું વાર છે ?

માર્યા અસુરો કેટલા ઘણા દેવને તે ઉગારીયા
સુણી સાદ આજે માવડી થંભીને કાં ઉભા રહ્યા
કહે સિદ્ધ ભારતમાં ખરો કોરોના તણો પડકાર છે
આવો ઉગારો રોગથી હવે, હે! ભવા શું વાર છે ?

- *સિદ્ધ ચારણ(વિરવદરકા)*
મો. 9586788806

No comments:

Post a Comment