ગઝલ
આજે કેમ લાગણીના પૂર છે ?
વસંતની નજાકત તો દૂર છે.
પજવે છે હવે એકાંત પણ,
સમયનો સંગાથ શાને ક્રૂર છે ?
પગ અકળાઈ ગયા બેસીને,
વૉક -વે ની સાંજ મજબૂર છે.
માન્યું , જાન છે તો જહાન છે,
જીવાતી ક્ષણોમાં ક્યાં નૂર છે ?
આટલો ઉદાસ ક્યારેય ન્હોતો ,
પવન અડે , મને બહુ જરૂર છે.
નરેન્દ્રના વિશ્વાસની વાત છે,
એટલે તો ગઝલ મારી શૂર છે.
'કાન્ત ' ઊભો થઈ, ફરે ઘરમાં,
મક્કમ મન-તન ,ભરપૂર છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment