Sunday 19 April 2020

ગઝલ

ગઝલ 

આજે  કેમ  લાગણીના  પૂર  છે ?
વસંતની   નજાકત  તો  દૂર છે.

પજવે   છે   હવે   એકાંત  પણ,
સમયનો સંગાથ  શાને  ક્રૂર  છે ?

પગ   અકળાઈ  ગયા   બેસીને,
વૉક -વે  ની  સાંજ  મજબૂર  છે.

માન્યું , જાન  છે  તો જહાન  છે,
જીવાતી  ક્ષણોમાં ક્યાં  નૂર  છે ?

આટલો  ઉદાસ ક્યારેય ન્હોતો ,
પવન  અડે , મને બહુ જરૂર છે.

નરેન્દ્રના  વિશ્વાસની  વાત  છે,
એટલે તો  ગઝલ મારી શૂર છે.

'કાન્ત ' ઊભો થઈ, ફરે ઘરમાં,
મક્કમ  મન-તન  ,ભરપૂર  છે.
                 ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

No comments:

Post a Comment