🌳🌳🌳🌳🌳🌳🌳
ડૉ.સત્યમબારોટ
ધર્મમાં ખાના ખરાબી હોય છે.
એજ એની કામયાબી હોય છે.
સત્યને જીવન બનાવી જીવશે,.
એજ માણસ ઇન્કલાબી હોય છે.
આળસુને તું કદીએ પૂછ ના,.
કેમ એ હાજર જવાબી હોય છે.
વાત વાતે જે ફરી જાતો અહીં,.
માનવી એવો શરાબી હોય છે.
ના ખબર પળની પડે તોયે અહીં,.
માનવી આખો નવાબી હોય છે.
રોજ અંધારાથી જે લડતો હશે,.
એજ માણસ આફતાબી હોય છે.
રોજ પૂજા થાય છે જેની સદા,.
તે છતાં ઇશ્વર કિતાબી હોય છે.
ડૉ.સત્યમબારોટ
🌳🌳🌳🌳🌳🌳🌳🌳
No comments:
Post a Comment