Sunday, 19 April 2020

ગઝલ

ગઝલ

થયેલા જખમને પ્રથમ છાવરે છે,
પછી જાળ દુઃખની સ્વયં પાથરે છે !

વમળમાં ફસાયું છે મન એટલે તો,
વિચારો મહીં ક્યાં હજી આછરે છે ?

બધી ગેર સમજણ કહેતી ફરે કે -
વિવાદો વિમાસણ સુધી વિસ્તરે છે.

અગર હોય શ્રદ્ધા ડુબાડે ન સાગર,
જુઓ, રામનામેય પથ્થર તરે છે !

અહં ઓગળે, જાત થઈ જાય ખાલી,
પછી બ્રહ્મ રૂપે ગઝલ અવતરે છે !

જિજ્ઞા ત્રિવેદી

No comments:

Post a Comment