Friday 30 September 2016

ગઝલ

ગઝલ....
ઊગ્યો છે તો આથમવાનો
સૂરજ બીજું શું કરવાનો ?

ગઝલોના ફંદામાં આવ્યો
લાગે આ માણસ મરવાનો....

પોતાનો ફોટો મેલીને
પોતાને દીવો કરવાનો.....

પથ્થર પાદરનો આવીને
આંખો વચ્ચે ખરખરવાનો...

મોત ! તને સત્કારું આજે
હું તારાથી ક્યાં ડરવાનો?

ઘેલો માનો તો ઘેલો છું
હું તો બસ આમ જ ફરવાનો....

હૈયું તારૂં ચોખ્ખું કરજે,
હું છું મેળો ત્યાં ભરવાનો....

- અનિલ વાળા

No comments:

Post a Comment