ગઝલ....
ઊગ્યો છે તો આથમવાનો
સૂરજ બીજું શું કરવાનો ?
ગઝલોના ફંદામાં આવ્યો
લાગે આ માણસ મરવાનો....
પોતાનો ફોટો મેલીને
પોતાને દીવો કરવાનો.....
પથ્થર પાદરનો આવીને
આંખો વચ્ચે ખરખરવાનો...
મોત ! તને સત્કારું આજે
હું તારાથી ક્યાં ડરવાનો?
ઘેલો માનો તો ઘેલો છું
હું તો બસ આમ જ ફરવાનો....
હૈયું તારૂં ચોખ્ખું કરજે,
હું છું મેળો ત્યાં ભરવાનો....
- અનિલ વાળા
No comments:
Post a Comment