વાત જાણે જરા જુદી લાગી,
તેં દીધી તો દુઆ ,જુદી લાગી.
બસ ગઝલમાં પરોવી લીધી તો ,
જિંદગીની વ્યથા , જુદી લાગી.
છેવટે બે - ગુનાહ થયો સાબિત,
તે છતાં પણ , સજા જુદી લાગી.
નીક્ળયો છું અને ઘણું ચાલ્યો ,
તે પછી આ દિશા .,જુદી લાગી !
એ ના એ તો હ્તા , બધાં ''નીરવ'' ,
કેમ આબોહવા , જુદી લાગી ?
---નિરવ વ્યાસ.
No comments:
Post a Comment