મને ફરક નહીં પડે, કહે છે લોક શું ?
રહી શકું છું એટલે , પૂરી નિરાંતે હું
ન દોડ આખરી કે કોઇ ફર્ક પણ પડે
યુગોથી દોડમાં જ છું, હે! શ્ર્વાસ જાણ તું !
સપન મહીં ય તું કદી , ન દૂર જૈ શકૈ
હું તો પરોવી શ્ર્વાસમાં , બેઠી છું એક તું
જીવી જતે એ પ્રેમથી જીવન મધૂર પણ
અરી અહીં ય પ્રેમનાં , જે મારે ફૂંક ફૂં--
ઇશ્વર સિવાય કોઇને સલામ કર નહીં
એની લકીર કોઇ લ્યો ભૂંસી શકે છે શું?
કવયિત્રી-પ્રજ્ઞા વશી
No comments:
Post a Comment