Wednesday, 1 February 2017

ગઝલ

તરહી ગઝલ ભરત સરના મિશરા પરથી
*તરુને ફક્ત પ્રશ્ન એ થાય છે*
*હજી કઈ તરફ આ નદી જાય છે*
-------------------------------------------
કફનમા હવે મુખ આ સંતાય છે.
શ્વસનથી આ મૃત દેહ ગભરાય છે.

ના અત્તર હવે છાંટ  મૃત દેહ પર,
પછી શ્વાસ મારો ત્યાં  રૂંધાય છે

ના છલકાવશો પ્રેમ આ આટલો,
મરણ બાદ મન મારુ મુંઝાય છે.

હવે રાખશો ક્યાં સુધી સાચવી,
શરીર જો વગર શ્વાસે ગંધાય છે.

આ સંજીવની સ્પર્શ ના આપ તું,
સજીવન  દરદ ત્યાં થઈ જાય છે.

*-સર્જક*

*મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ*

No comments:

Post a Comment