Saturday 29 April 2017

ગઝલ

લાગણીઓ લઈને હું નિત્ય નિરંતર ચાલું છું,
મૌનમાં દર્દની દવા બનવાની ગુસ્તાખી કરું છું.

સાતભવનું ભાથું બાંધી આઠમી અજાયબી બનું છું,
ડોલીમાં કદીક નીરખવાની ગુસ્તાખી કરું છું.

સાદગીની સરિતા શીતળતા હરઘડી આલો છો,
ગંગા જમના નીર બનાવાની ગુસ્તાખી કરું છું.

જોજનદુરથી તારોને મારો નાતો અતૂટ છે,
ડાગલા રૂપે તારો પડછાયો બનવાની ગુસ્તાખી કરું છું.

પ્રેમ લાગણીનું લાલન પાલન કરવા હું મથું છું,
"અઝીઝ"ની વેદના કહેવાની ગુસ્તાખી કરું છું.

ભાટી એન "અઝીઝ"

No comments:

Post a Comment