કોઇ દી સાંભરે નૈ
મા મને કોઇ દી સાંભરે નૈ
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઇ દી સાંભરે નૈ
કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમાં ગણગણ થાય,
હુ તુ તુ તુની હડિયાપાટીમાં
માનો શ્બ્દ સંભળાય –
મા જાણે હીંચ્કોરતી વઇ ગઇ
હાલાંના સૂર થોડા વેરતી ગઇ… કોઇ દી સાંભરે નૈ
– ઝવેરચંદ મેઘાણી
No comments:
Post a Comment