Tuesday, 10 April 2018

ગઝલ

ગઝલ - તો હું શું કરું?

પાંખ ભીતર પ્રસારે તો હું શું કરું?
નાવ ડૂબે કિનારે તો હું શું કરું?

મૌન મારું જરા બોલકું થઈ હસ્યું;
કંઠથી સ્વર પુકારે તો હું શું કરું ?

શ્વાસના હાટ પર અશ્રુ મોંઘા ઘણાં,
ધારણા  કોઈ ધારે તો હું શું કરું?

એ છબી મનને જુઓ કરે તર બ તર;
આવે એ વારે વારે તો હું શું કરું ?

પ્હાણ જેવો તને ધારતો હું હતો ;
ઇશ થઈને પધારે તો હું શું કરું ?

દિલીપ વી ઘાસવાલા

No comments:

Post a Comment