🌳માનવીથી મોટું સત્ય નૈ🌳
ડૉ.સત્યમબારોટ
સ્વર્ગ ધરતી પર સદા લાવી શકું,.
રોતા બાળકને હું હરખાવી શકું.
માનવીથી કોઇ મોટું સત્ય નૈ ,.
વાત જગને એ જ સમજાવી શકું.
શોખ, રણ કરવા કદી રાખ્યો નથી,.
ઝાડ ધરતી પર સદા વાવી શકું.
ભૂલ, ભૂલીને બધી માનવ તણી,.
હોય જેવો એ જ અપનાવી શકું.
ડૉ.સત્યમબારોટ
🌳🌳🌳🌳🌳🌳🌳🌳
No comments:
Post a Comment