કાળજું જ્યારે બળે છે;
શબ્દ ત્યારે ઝળહળે છે.
રોજ ધૂણો નાખ ભીતર;
આ ગઝલ ત્યારે મળે છે.
પથ્થરો ફાટી જવાના;
આજ કૂંપળ સળવળે છે.
જીવવા માંગો તમે તો;
મોત પણ પાછું વળે છે.
ફૂલથી લાગી ગયેલી;
ક્યાં હજીયે કળ વળે છે?
શાયરીમાં દર્દ હો તો;
પાળિયા પણ સાંભળે છે.
-જિજ્ઞેશ વાળા
No comments:
Post a Comment