ફૂલો ન હોય તોય બગીચો તો જોઈએ,
ખુશ્બુના ખાલીપાને દરજ્જો તો જોઈએ.
તમને ગઝલ તો કહેવી છે પણ એક શર્ત છે,
દિલમાં તમારા ક્યાંક ઉઝરડો તો જોઈએ.
ઘરમાં ભલેને રાચરચીલું ન હોય પણ
એક બે તમારાં ઘરમાં વડીલો તો જોઈએ.
મનમાં ઘૂસી ગયો છે મૂડીવાદ કેટલો?
તમને ધનિક કહેવા ગરીબો તો જોઈએ.
ચાલ્યા કરે ચરણ ને શું? મંઝિલથી પણ વધુ,
તળિયાથી તાળવા સુધી જુસ્સો તો જોઈએ.
તમને પૂછ્યા વગર તો મે પાણી નથી પીધું,
મારા પછી જે આવે એ તરસ્યો તો જોઈએ.
✍ગૌરાંગ ઠાકર
No comments:
Post a Comment