Monday 25 March 2019

ગઝલ

એક નાની ભૂલ થી જીવન પુરું ડહોળાય નહીં.
પણ શું? પછતાવો કરી એમાં સુધારો થાય નહીં.

હા ખબર છે! બોલવું ખોટું સદા એ પાપ છે.
સત્ય થી જો પાપ જેવું થાય, તો બોલાય નહીં.

જો તમારી આંખ સામે કામ ખોટા થાય તો.
ચૂપ બેસી ને, તમારા થી કદી જોવાય નહીં.

કોઇ આવી ને તમારા પર કરે જો વાર તો.
આપના થી પણ પછી, કાયર બની બેસાય નહીં.

થાય ના આંખો ભીની એમ તમારી દુઃખ માં,
માંગવા માટે કદી પણ, હાથ ફેલાવાય નહીં.

હક નું આવી ને, પડાવી લે તમારું કોઈજો.
તો તમારે પણ, જગત માં"મૌન"થઈ જીવાય નહીં.
વિનોદ બી ગુસાઈ મૌન

No comments:

Post a Comment