ખૂબ ક્ડવો જિંદગીનો જામ છે
ગટગટાવે જાઉં છું આરામ છે.....
નાશમાંથી થાય છે સર્જન નવું
મોત એ જીવનનું નામ છે.....
તું નહીં માણી શકે દિલનું દરદ
તારે ક્યાં આરંભ કે પરિણામ છે !
દ્વાર તારા હું તજીને જાઉં ક્યાં ?
મારે મન તો એ જ તીરથ ધામ છે....
આછું મલકી લઈ ગયા દિલના કરાર
કેવું એનું સિધું સાદું કામ છે.. !
છેહ તો તારાથી દેવાશે નહીં
ઠારનારા ! એ ન તારું કામ છે....
ખાકને ‘નાઝિર’ ન તરછોડો કદી
જિંદગીનો એ જ તો અંજામ છે....
-નાઝિર દેખૈયા
No comments:
Post a Comment